world inbox ni book kharido
અહીંથી તમે તારીખ ૨૨-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. પૂર્વ કેન્દ્રીય માહિતી
પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીનું નિધન, પીએમ મોદી ટ્વિટ કરી
શ્રદ્ધાંજલિ અર્પી
પૂર્વ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી
પ્રિયરંજન દાસમુન્શીનું 72
વર્ષની વયે
ગઈકાલે દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું. આ દુઃખદ સમાચાર સાંભળ્યા પછી વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ કેન્દ્રીય પ્રધાનોએ પણ
ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
૨. ભારતનો વાગ્યો
દુનિયામાં ડંકો, 70 વર્ષમાં પહેલી વખત ICJમાંથી બ્રિટન બહાર
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની રચના 1946મા થઇ હતી. આ દોરમાં બ્રિટન દુનિયાની સૌથી
મોટી તાકત હતું અને ત્યારથી આજ સુધી આઇસીજે માં તેનો કોઇને કોઇ જજ ચોક્કસ રહેતો
હતો. પરંતુ 1946
બાદ એવું
પહેલી વખત થયું છે, જ્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટનની
સીટ હશે નહીં. જ્યારે ભારતના દલવીર ભંડારી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ તરીકે
ફરીથી પસંદ કરાયા છે.
૩. CRPF
આતંકીઓને
કરાવશે ઘરવાપસી, 'મદદગાર' હેલ્પલાઈન જાહેર
જમ્મુ-કાશ્મીરમાં
આતંકનો રસ્તો છોડીને ઘર વાપસી કરવાની ઈચ્છા રાખનાર યુવાનો માટે પહેલી વખત
હેલ્પલાઈન નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. સીઆરપીએફ તરફથી રજૂ કરવામાં આવેલ ટ્રોલ
ફ્રિ નંબર 14411
24X7 એટલે કે, 24 કલાક અને સપ્તાહના સાતે દિવસે કામ કરશે.
આ
હેલ્પલાઈનનું નામ 'મદદગાર' રાખવામાં આવ્યું છે. કોઈપણ એવો યુવા, જે કોઈ અગમ્ય કારણોસર આતંકની દુનિયામાં જતો
રહ્યો છે. જો તે આતંકનો રસ્તો છોડીને ઘર પાછો ફરવા માંગે છે, તો આ નંબર ફોન કરી શકે છે. ત્યાર બાદ સીઆરપીએફ
તેની મદદ કરશે.
સીઆરપીએફના
આઈજી ઝૂલ્ફિકાર હસને કહ્યું, 'મારૂ માનવું છે કે, ઘણા બધા યુવાનો આતંકનો રસ્તો છોડવા માંગે છે.
તેથી અમે તેમને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે, કોઈપણ સરળતાથી પાછો ફરીને એક આઝાદ જીવન જીવી
શકે છે. ફોન કરીને પાછા ફરનાર કોઈપણ વ્યક્તિને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે નહી.'
જમ્મુ-કાશ્મીરના
ડીજીપી એસપી વેદ્યે સ્થાનિક આતંકવાદીઓને આતંકનો રસ્તો છોડવાની અપિલ કરી છે. તેમનું
કહેવું છે કે, ઓછામાં ઓછા 60 આતંકી એવા છે, જેમની ઘર વાપસી કરવાની ઈચ્છા છે.
૪. દબાણ હટાવવા માટે
દિલ્લીની ઓળખ સમા 108 ફૂટના હનુમાનજી થશે એર લિફ્ટ?
હાલમાં દિલ્લીવાસીઓમાં પ્રદૂષણની સમસ્યા બાદ
એક અગત્યનો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે દિલ્લીન કરોલ બાગ અને ઝંડેવાલાન વચ્ચે આવેલી
હનુમાનજીની વિશાળ પ્રતિમાનું એરલિફ્ટ થઈ શકે છે. દિલ્લી હાઇકોર્ટે સોમવારે એનસીડી
અને સિવિક એજન્સીઓએ આ પ્રકારની શક્યતાઓ શોધવાના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે કરોલ
બાગના રસ્તા પર સતત વધી રહેલા દબાણને દૂર કરવા માટે કોર્ટ એક પબ્લિક પીટીશન પર
સુનાવણી કરી રહી છે.
૫. અમિત શાહ તામિલ, બંગાળી અને કલાસીકલ
મ્યુઝીક શીખી રહ્યાં છે
આખા દેશમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળી રહ્યો
છે, એક પછી એક
રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટજીની
વાત કરીએ તો, ચૂંટણીઓને
ધ્યાનમાં રાખીને અમિત શાહ અજીબ તૈયારી કરી રહ્યાં છએ. જી હાં અમિત
શાહ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તામિલ, બંગાળી અને ક્લાસીકલ મ્યુઝીક શીખી રહ્યાં છે. એક અંગ્રેજી અખબારમાં આવેલ
અહેવાલ પ્રમાણે અમિત શાહે પ્રોફેશનલ ટીચર રાખ્યાં છે, જે તેમને તામિલ, બંગાળી જેવી ભાષાઓ શીખવાડે છે.
૬. સુખોઈ-30 ફાઈટર જેટથી કરવામાં
આવ્યું બહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ
બહ્મોસ
સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું બુધવારે સુખોઈ-30 ફાઈટર જેટથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં
આવ્યું. આવું પહેલી વખત બન્યું છે કે, કોઈ બહ્મોસ મિસાઈલનું પરિક્ષણ સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટથી કરવામાં આવ્યું હોય. આ મિસાઈલને
બે એન્જિનવાળા સુખોઈ વિમાનથી બંગાળની ખાડીમાં છોડવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય:-
૧. ભારતની
મોટી જીતઃ ICJમાં બીજી વખત ચૂંટાયા દલવીર ભંડારી
નવી દિલ્હીઃ ભારતીય મૂળના
દલવીર ભંડારી નેધરલેન્ડની હેગમાં આવેલી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના જજ તરીકે
બીજી વખત ચૂંટાયા છે. જજની છેલ્લી સીટ માટે ભંડારી અને બ્રિટનના દાવેદારની વચ્ચે
મુકાબલો હતો પરંતુ અંતિમ ક્ષણોમાં બ્રિટને પોતાના ઉમેદવારને ચૂંટણીમાંથી હટાવી
લીધા.
૨. દુનિયાનું સૌથી મોટું
ડોમ સ્ટેડિયમ બન્યું જમીનદોસ્ત, કયા ઓલિમ્પિકનું હતું
યજમાન
એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટામાં વર્ષ ૧૯૯૬માં
યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવનું યજમાન રહેલા ડોમ સ્ટેડિયમને ગઈ કાલે જમીનદોસ્ત કરી
દેવામાં આવ્યું. આ દુનિયાનું સૌથી મોટું ડોમ સ્ટેડિયમ હતું. સાથે જ તેની છત
દુનિયાના સૌથી મોટા કેબલ પર ટકેલી હતી. બે સુપર બોલ અને અનેક ઘરેલુ રમત
સ્પર્ધાઓનું સાક્ષી રહેલા અઢી દાયકા જૂના આ જ્યોર્જિયા ડોમ સ્ટેડિયમના સ્થાને હવે
હોટેલ, પાર્કિંગ અને ગ્રીન સ્પેસ બનાવાશે.
રમત ગમત:-
૧. વિદેશની
ધરતી પર ખંભાતી ક્રિકેટરનો શ્રેષ્ઠ પ્રદર્શન: 'મેંન ઓફ ધી મેચ' એવોર્ડથી સન્માન
ખંભાત, આણંદ: ખંભાતમાં ખાતે શિક્ષણ મેળવી વધુ અભ્યાસ અર્થે
કેનેડા ખાતે ગયેલ ખંભાતનો યુવા ક્રિકેટર ખંભાત શહેરના કાબ્રાના મહોલ્લાનો રહેવાસી
મો.ફેસલ મો.ઇરસાદ શેખે કેનેડા જેવી વિદેશની ધરતી પર યોજાયેલી કેનેડાના હેમિલ્ટન
જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિસ્ટન પ્રીમિયર ટીમ તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી
ટીમને વિજેતા બનાવી હતી. જેના પરિણામે મેંન ઓફ ધ મેચ તરીકે પસંદગી બનતા કેનેડા
ક્રિકેટ બોર્ડના પ્રમુખ રંજીત સોનીના વરદહસ્તે મો.ફેસલને મેન ઓફ ધ મેચ એવોર્ડ
એનાયત કરવામાં આવ્યો હતો.
૨. ચેમ્પિયન્સ લીગ : રોનાલ્ડોનો રેકોર્ડ, ટોપ-16માં રિયલ મેડ્રિડનો
પ્રવેશ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બે ગોલની મદદથી રિયલ
મેડ્રિડે ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. રિયલના
એપોએલને 6-0થી હરાવી. જ્યારે એક અન્ય મેચમાં લીવરપૂલે
ત્રણ ગોલની મદદથી મેચને ડ્રો કરાવામાં સફળ રહી હતી.
32 વર્ષના રોનાલ્ડોએ મેચમાં 49 અને 54મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. આ વર્ષે
ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોના ગોલની સંખ્યા 18 થઇ ગઇ છે. રોનાલ્ડોએ આ સાથે કોઇ સિઝનમાં
સર્વાધિક ગોલ નોંધાવવાના પોતાના જૂના રેકોર્ડ (17 ગોલ) ને પાછળ છોડી દીધો. આ લીગમાં રોનાલ્ડોએ
કુલ 113
ગોલ
નોંધાવ્યા. જે એક રેકોર્ડ છે.
મહત્વપૂર્ણ છે કે જિનેદીન જિદાનની ટીમે ગત
મેચમાં ટાટેનહમ હોટ્સપરથી હારીને વાપસી કરતા સાઇપ્રસમા એપોએલને હરાવી.
જ્યારે પાંચ વારની ચેમ્પિયન લીવરપૂલે ત્રણ
ગોલતી બઢત મેળવીને સેવિલા સાથેની મેચને 3-3થી ડ્રો કરાવી. ગ્રુપ-ઇ માં રશિયાની ચેમ્પિયન
સ્પાર્તક માસ્કોને મારિબોરથી 1-1થી મેચને ડ્રો કરાવી.
૩. ટેસ્ટ
રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોચ્યો
ટેસ્ટ રેિંન્કગમાં
ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી પાંચમા સ્થાને પહાેંચી ગયો છે. વિરાટે વિરાટ સિદ્ધી
હાંસલ કરવાનાે સિલસિલો જારી રાખ્યો છે. આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલી
રેિંન્કગમાં ભારતીય ખેલાડીઆે શાનદાર દેખાવ સાથે આગળ વધી રહ્યાા છે. જો કે સ્પીનર
રવિન્દ્ર જાડેજા બાેલરોની યાદીમાં એક સ્થાન નીચે ગબડીને ત્રીજા સ્થાને પહાેંચી ગયો
છે. કોહલીએ હાલમાં શ્રીલંકા સામે કોલકત્તા ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિગ્સમાં સદી
ફટકારી હતી.
4. સિંધુ, સાઈના, પ્રણય હોંગ કોંગ ઓપનમાં
બીજા રાઉન્ડમાં પહોંચ્યા
હોંગ કોંગ – ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડીઓ પી.વી. સિંધુ
અને સાઈના નેહવાલ તથા પુરુષ ખેલાડી એચ.એસ. પ્રણયે અહીં હોંગ કોંગ ઓપન સુપરસિરીઝ
બેડમિન્ટન સ્પર્ધામાં પોતપોતાના પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ
કર્યો છે.
આર્થિક:-
૧. ન્યાયાધીશોના પગારવધારાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય
કર્મચારીઓની વેતન નીતિને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોની જાણકારી
આપતાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે, પંદરમા નાણાં પંચની રચનાને મંજૂરી આપવામાં આવી
છે. આ પંચ એપ્રિલ-2020થી લઈને એપ્રિલ-2025 સુધી લાગુ થશે.
અન્ય.
૧. એચપી ઘ્વારા નવી OMEN ગેમિંગ નોટબુક્સ લોંચ
કરવામાં આવી
કંપનીએ બે નવા મૉડેલ એટલે કે ઓમેન 15 અને ઓમેન 17 મોડલ્સ લોન્ચ કર્યા છે અને નવીનતમ
હાઇ-પર્ફોર્મન્સ 10
સિરીઝ
જીટીએક્સ ગ્રાફિક્સ સાથે NVIDIA,
ઝડપી રીફ્રેશ
દર અને સિંગલ એક્સેસ સર્વિસ પેનલ માટે વૈકલ્પિક જી-સિંક ટેક્નોલોજી સાથે
હાઇ-રીઝોલ્યુશન ડિસ્પ્લે છે. RAM અને સ્ટોરેજ માં પણ વધારો કરવામાં આવ્યો છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point
www.prashantbhatt.in